બાંગ્લાદેશમાં હિન્દુઓ સામેની હિંસામાં સતત વધારો થઈ રહ્યો છે. દીપુ ચંદ્ર દાસને કટ્ટરપંથીઓના ટોળાએ જીવતો સળગાવી દીધાના થોડા દિવસોમાં વધુ એક હિન્દુની ઢોર માર મારીને હત્યા કરાઈ હતી. 29 વર્ષીય અમૃત મંડલ ઉર્ફે સમ્રાટની રાજધાની ઢાકાથી લગભગ સાડા ત્રણ કલાક દૂર આવેલા રાજબારીના પંગશા ઉપજિલ્લામાં રાત્રે 11 વાગ્યાની ટોળાએ નિર્મમ હત્યા કરી હતી.